Search
Popular Searches
Top Picks For You
No top picks available
Suggestions
ગુજરાતી સાહિત્ય જગતનો ચમકતો સિતારો
એટલે ખલીલ ધનતેજવી. આજે જ્યારે તેમણે આ નશ્વર દુનિયાને અલવિદા કહ્યું ત્યારે અનેક
સાહિત્યપ્રેમીઓની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી.
ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ
મકરાણી હતું. તેઓ ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર હતા. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1935ના રોજ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં
થયો હતો. તેનું શિક્ષણ માત્ર ધોરણ 4 સુધી જ હતું. પરંતુ સાહિત્ય જગતમાં
તેઓ એક ઉમદા વ્યક્તિ તરીકે જાણીતા છે.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે
પત્રકારત્વ, પ્રિન્ટીંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ
સાથે સંકળાયેલા છે. તેમને 2004માં કલાપી એવોર્ડ અને 2013માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ મળ્યો હતો. 2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો.
જય વસાવડા : આધુનિક ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય કૉલમ અને નિબંધકાર